થરાદ,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-
બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકા થરાદ નાં ગામ રતનપુરા ખાતે મડૅર ની ઘટના સામે આવી છે થરાદ તાલુકાના માપી ગામે થી ૧૭ વર્ષ થી સાસરે જતી મહિલા ની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે અને હત્યા કરનાર અન્ય કોઈ નહીં પણ તેના પતિ દ્વારા જ ધારિયા નાં ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.થરાદ તાલુકાના રતનપુરા ગામમાં દલિત પરણિત યુવતી હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
તેના પતિએ કરી પત્ની ની હત્યા કરતાં લોકો પતિ પ્રત્યે ફીટકાર વરસાવી રહ્યા છે.
સંતોકબેન ની હત્યા તેના પતિએ લક્ષ્મણભાઈ એ તિક્ષણ હથિયાર વડે હત્યા કરી ને માતા થી અલગ ત્રણ બાળકો ને પાડતા માતૃછાયા ગુમાવવા નો વારો બાળકો નો આવ્યો છે.
હત્યા ક્યાં કારણો થી કરવામાં આવી તેની હજી કોઈ પ્રકારની માહિતી જાણવા મળી નહોતી.
સંતોકબેન ના પિયર પક્ષે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
તાત્કાલિક ધોરણે હત્યારા લક્ષ્મણ ને થરાદ પોલીસ દ્વારા જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે