થરાદ, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-
રખડતી ગાયો નો કાયદો પરત ખેંચવાની વાત તેમજ લંપી માં મોત પામેલ ગાયો માટે સહાય તેમજ સારવાર ની માંગ સાથે બનાસકાંઠા ના અનેક તાલુકા મથકે અને ગ્રામીણ વિસ્તાર માં બંધ ની અસર જોવા મળી જો કે ડેરી ચાલુ હોવા છતાં કેટલાક પશુપાલકો એ ડેરી માં દૂધ ન ભરાવી ને વિરોધ નોંધાવ્યો હતો તો કેટલાક એ દૂધ ઢોલી ને આકરા તેવર બતાવ્યા હતા બંધ ના એલાન ને લઈ અનેક વેપારી સંગઠન ઓ પણ વેપાર ધધા બંધ રાખી ને સ્પોટ કર્યો હતો ઠેર ઠેર ગૌપ્રેમી ઓ એ ગાય માતા માટે આવેદનપત્ર આપી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.