ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-
ડીસા સાઈબાબા મંદિર ખાતે આજે સાંજે ત્રણ દિવસ પહેલા બનેલ મોરબી જુલતા પુલ ઉપર ગુજરાતના લગભગ 135 લોકોના મૃત્યુ થવાના સમાચાર મળતા ની સાથે જ આખા ગુજરાત અને દેશભરમાં શોક ની લાગણી પસરી ગઈ હતી અને ગુજરાત સરકાર તરફથી તાત્કાલિક ધોરણે ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ પણ મુલાકાત લીધી હતી. સ્વજનોને ગુમાવવાનું દુઃખ અને આ પુલ દુર્ઘટનામાં ઈજા ગ્રસ્ત લોકોને જલ્દી સ્વસ્થ થવાની શુભકામનાઓ માટે આજે ડીસા શહેર ભારતીય જનતા પાર્ટી તરફથી એક કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું સાઈબાબાના આગળમાં મૃત્યુ પામેલ સ્વજનોને દિલથી શ્રદ્ધાંજલિ આપીને ભગવાન તેમની આત્માને શાંતિ આપે બે મિનિટનો મૌન પાલી ને સદગત આત્માને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જ્યારે હોસ્પિટલમાં દાખલ સ્વજનો જલ્દીથી સ્વસ્થ થાય અને જલ્દીથી પોતાના પરિવાર સાથે ફરીથી ખુશ હાલ જિંદગી જીવે એવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી ટૂંકમાં ભારતીય જનતા પાર્ટી તરફથી મોરબી પુલ દુર્ઘટાને લઈને ખૂબ જ દુઃખની લાગણી સાથે સ્વજનોને ગુમાવવાનું દુઃખ પણ વ્યક્ત કરવામાં આવ્યું હતું અને ગુજરાતની તમામ જનતા અને ડીસાની તમામ ભારતીય જનતા પાર્ટી ગુમાવનાર સ્વજનો સાથે છે એ વ્યક્ત કરવામાં આવ્યું હતું