ધોરાજીમાં આજે સાંજે સમસ્ત હિંદુ મુસ્લિમ સમાજ દ્વારા મોરબીના દિગવંત આત્માને શાંતિ અર્પવા માટે મૌન રેલી યોજાઈ

ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-

ધોરાજી સમસ્ત સમાજ દ્વારા આજે સાંજે સ્ટેશન રોડ બાપુના બાવલા ચોક ખાતેથી વિશાળ મોન રેલી યોજાશે

મોરબીમાં જુલતા પુલમાં જે દુર્ઘટના સર્જાય છે તે દુર્ઘટનામાં અસંખ્ય લોકો નું અવસાન થયું છે જે દુઃખદ ઘટનાને ધ્યાનમાં રાખી ધોરાજી સમસ્ત હિંદુ મુસ્લિમ સમાજ દ્વારા એક મૌન રેલી નું આયોજન કરવામાં આવેલું હતું.

જે મૌન રેલી ધોરાજીના સ્ટેશન રોડ બાપુના બાવલા ચોકથી પ્રારંભ થઈ જે ત્રણ દરવાજા મહાત્મા ગાંધી ચોક ખાતે પૂર્ણ થયેલ બાદ ત્રણ દરવાજા મહાત્મા ગાંધી ચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ધોરાજી ના હિંદુ મુસ્લિમ સમાજના આગેવાનોએ દેવવંત આત્માને પુષ્પ દ્વારા શ્રદ્ધાંજલિ આપેલ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here