રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-
બેન્ક દ્વારા થતી ધિરાણની કામગીરી ક્લિયરન્સ જેવા કામો ઝડપથી થાય માટે કર્મચારીઓની ભરતી જરુરી
રાજપીપળા ખાતે સ્ટેશન રોડ પર આવેલ યુનિયન બેંક મા ફરજ બજાવતા કર્મચારીઓ નિવૃત્ત થતા તેમજ બદલીઓ થતા હાલ ત્રણ ચાર કર્મચારીઓ દ્વારા બેંક ચાલી રહી છે જેથી કામગીરી મા વિલંબ થતાં હોય ગ્રાહકો ને કામકાજ મા વિલંબ થતાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
યુનિયન બેંક મા અન્ય બેંકો નુ મર્જર થતા બેંક ની કામગીરી મા પણ વધારો થયો છે તયારે રાજપીપળા ખાતે ની શાખા મા રોજબરોજ ની કામગીરી ક્લિયરન્સ સહિત નાણાં ના ધિરાણ જેવી કામગીરી ઓ સમય નો વેડફાટ થતો હોય છે , પુરતો સ્ટાફ બેંક મા ન હોય ને વિલંબ થાય એ પણ સ્વાભાવિક છે.ત્યારે રાજપીપળા ખાતે ની યુનિયન બેંક મા પુરતા સ્ટાફ ની નિમણુંક થાય લોકો ના ધિરાણ સહિત ના કામકાજ નુ વેળાસર નિરાકરણ અને ઉકેલ આવે એ ખુબજ જરુરી છે.