નર્મદા જિલ્લામાં આજ રોજ 12 પોઝિટીવ કેસ નોંધાયા જે પૈકી રાજપીપળામાં 8 પોઝિટિવ દર્દીઓ

તિલકવાડામાં 2 પાંચપિપરીમાં 1 અને ઉમરાણ ખાતે 1 પોઝિટિવ કેસ નોંધાયયા

નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવના દર્દીઑની સંખ્યા પહોંચી 293 ઉપર

રાજપીપળાનો કાછીયાવાડ વિસ્તાર બન્યો નગરનો એપિ-સેન્ટર કાછીયાવાડમાંથી દરરોજ બહાર આવતાં કોરોના પોઝિટિવ કેસો

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યામાં આજરોજ પણ નોંધપાત્ર વધારો નોંધાયો હતો. જીલ્લામાંથી આજરોજ કુલ 12 પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. જેથી જીલ્લામાં કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યા વધીને 293 ઉપર પહોંચી છે .

આજ રોજ રાજપીપળા ખાતેથી 8 કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા છે જેમાં સોથી વધુ કાછીયાવાડ વિસ્તારના કેસો હોય આ વિસ્તાર નગરનો એપિ-સેન્ટર બની રહયું છે. લુહારચાલ ચોર્યાસીની વાડી પાસે થી, માલીવાડ, લીમડાચોક પાસે થી પણ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. તિલકવાડા ખાતેથી એક, ભાદરવા ખાતેથી એક પાંચપિપરી અને ઉમરાણ ખાતેથી એક-એક કોરોના પોઝિટિવ કેસો નોધાયા છે.

આજરોજ જેમના સેમ્પલ ટેસ્ટીંગ લેવામાં આવેલ અને પોઝિટિવ આવ્યા તેમાં 1 )ચિંતન અશોક કનોજીયા લુહારચાલ રાજપીપળા 2)શાંતાબેન નાનાલાલ કનોજીયા ઉ.વર્ષ 95 લુહારચાલ રાજપીપળા 3 )જયંતિભાઈ ડાહ્યાભાઈ માછી લીમડાચોક રાજપીપળા 4 )ઉષાબેન રશ્મિકાંત રાવળ કાછીયાવાડ રાજપીપળા 5 )હર્ષાબેન એ. પ્રજાપતિ કુંભારવાડા રાજપીપળા 6 )જશુંબેન એ. કાછીયા રહે કાછીયાવાડ ની વાડી સામે રાજપીપળા 7 )સીતાબેન ધરમેનદર કાછીયા રહે કાછીયાવાડની વાડી સામે રાજપીપળા 8 )સનતભાઇ સોમાભાઈ માલી માલીવાડ રાજપીપળા 9)અશોક હીરેનભાઈ તડવી ભાદરવા ટેકરા તા તિલકવાડા 10 )કનુભાઈ શનાભાઈ વાળંદ તિલકવાડા 11)હંસાબેન મહેન્દ્ર ભાઈ વસાવા પાંચપિપરી 12 )પૃથ્વીરાજ શાંતનુભાઇ વસાવા ઉમરાણનાઓનો સમાવેશ થાય છે.

પોઝિટિવ આવતા આ તમામ દર્દીઓને રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here