નર્મદા જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૦૩ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૫ દર્દીઓ સહિત કુલ ૦૮ પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામા આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૩૧૨,એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦૭ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૧૯ દરદીઓ સહિત પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૪૩૮ થઈ

રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી ૭ દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૪ દરદીઓ સહીત કુલ ૧૧ દરદીઓને આજે રજા અપાઈ

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૫ મી ઓગષ્ટ, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૦૩ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૫ (પાંચ) દર્દીઓ સહિત કુલ ૦૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૩૧૨,એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦૭ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૧૯ દર્દીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૪૩૮ નોંધાવા પામી છે.

પોઝિટીવ આવેલાઓમાં રાજપીપળાના ટીંબા ખડકીમાંથી 2, રાજપુત ફળીયા અને મોટા માલીવાડમાંથી એક એક દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે કરાઠામાંથી એક, વાવડીમાંથી 3 પોઝિટિવ કેસો મળી આવ્યા છે.

રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી ૭ દર્દીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૪ દર્દીઓ સહીત કુલ ૧૧ દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામા આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૦૭ દર્દીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧૫૭ દરદીઓ સહિત કુલ ૩૬૪ દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ, વડોદરા ખાતે ૬ દરદીઓ, અમદાવાદ ખાતે ૨ દર્દીઓ અને હોમ આઇસોલેશનમા ૧૨ દર્દીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૩૧ દર્દીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે ૨૩ દર્દીઓ સહિત કુલ ૭૪ દર્દીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૪૧, ટ્રુ નેટ (True nat) ટેસ્ટના ૯ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટના ૨૧૬ સહિત કુલ ૨૬૬ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here