ઘોઘંબા,(પંચમહાલ) મુઝફ્ફર મકરાણી :-
ગુજરાત પ્રભારી અને રાજ્ય સભા ના સાંસદ ડો.સંદીપ પાઠકજી દ્વારા નિયુક્તિ કરવામાં આવી હતી
તારીખ,17-6-2022ના રોજ બપોરે .૧.૩૦ કલાકે ઘોઘંબા તાલુકાના પરોલી અને ફરોડ ગામ પાસે હાલોલ વિધાનસભા સંગઠન મંત્રી ભરત રાઠવા ની.બી ઝેડ હોટલ ના પરિસરમાં પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ દર્શન વ્યાસ. છોટાઉદેપુર લોકસભા ના આમ આદમી પાર્ટીના પ્રમુખ ડો.કેતુલભાઇ રાઠવા. ની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ની સન્માન સંમેલન બેઠક યોજવા માં આવી .આ બેઠક માં પધારેલ મહાનુભાવો .દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીમાં રણનીતિ ના ભાગરૂપે ઘણી કામગીરી બાબતે, નક્કર આયોજન કરવા બાબતે તથા સંગઠન બાબતે ચર્ચા કરવા માં આવી હતી.અને સૌના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું . સાથે સાથે પધારેલ મહાનુભાવો દ્વારા નવનિયુક્ત હાલોલ વિધાનસભાના સંગઠન મંત્રી ભરત રાઠવા તેમજ જયેશભાઈ બારીયા તેમજ દિનેશભાઈ યાદવ અને સંજય સિંહ સોલંકી. કાલોલ વિધાનસભાના સંગઠન મંત્રી ઉત્સવ ભાઈ પટેલ તેમજ ગોઘરા વિધાનસભા સંગઠન મંત્રી અજય વસતાણિ ને લોકસભામાં પ્રમુખ ડો.કેતલ રાઠવા દ્વારા પધારેલ કાર્યકરોનુ સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં હાલોલ ઘોઘંબા જાબુઘોડાથી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને હાલોલ વિધાનસભા નું સંગઠન ખુબ જ મજબૂત છે. તે બાબતે પંચમહાલ જિલ્લા પ્રમુખ દર્શન વ્યાસ હાલોલ ટીમ નો આભાર માન્યો હતો.