સુરેન્દ્રનગર, આરીફ દીવાન (મોરબી) :-
સમગ્ર રાજ્યમાં હિંદુ મુસ્લિમ સમાજ દ્વારા એકતાના પ્રતીક શ્રી પરશુરામ જન્મ જયંતી અને પવિત્ર રમજાન માસની ઈદ-ઉલ-ફિત્ર ઈદ મુબારક પ્રસંગે વિવિધ કાર્યક્રમમાં યોજાયા છે ત્યારે
સુરેન્દ્રનગર શહેર જિલ્લા પંથક માં પણ શ્રી પરશુરામ જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા નું આયોજન સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું તે સમય દરમિયાન મુસ્લિમ સમાજના ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના સભ્યો અનેસમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા શોભાયાત્રા નું ફૂલહાર થી સ્વાગત કરી સોનામાં સુગંધ ની મહેક આપી હોય તેમ પવિત્ર રમજાન મા નિમિત્તે ઈદ અને પરશુરામ જન્મ જયંતી નિમિત્તે હિન્દુ મુસ્લિમ સમાજે એકતા ના પ્રતીક ઉજવણી કરી હતી આ કાર્યક્રમમાં ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રમુખ અકબરભાઈ કટિયા મહેબુબભાઇ. હનીફ ભાઈ. સહિતના મુસ્લિમ સમાજના લોકોએ શ્રી પરશુરામ જન્મ જયંતી નિમિત્તે ફુલહારથી સ્વાગત કરી શોભા યાત્રામાં હાજરી આપી એકતાનો સંદેશ અપાવ્યો હતો શોભાયાત્રા માં બ્રહ્મ સમાજના અગ્રણીઓ આગેવાનો આયોજકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા હિન્દુ સમાજના અગ્રણીઓ આગેવાનોએ ઈદ મુબારક ની શુભેચ્છા આપી હતી જે કાર્યક્રમ અંતર્ગત હાર્દિકભાઈ ગાંધી. રવિભાઈ જાની. ધર્મેશભાઈ શુક્લા સહિતના મહાનુભવો મોટી સંખ્યામાં હાજરી આપી હતી.