સિદ્ધપુરના નાગવાસણમાં અર્બુદા સેનાનું ૨૮મું સંમેલન યોજાયું

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

વિધાનસભા ચૂંટણી પૂર્વે સિદ્ધપુરના નાગવાસણ ગામે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીના અધ્યક્ષસ્થાને અર્બુદા સેનાનું ૨૮મું સંમેલન યોજાયું હતું.આ સંમેલન અગાઉ બાઈકરેલી નું આયોજન કરી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.વિપુલ ચૌધરીએ અર્બુદા સેનાને દૂધસાગર ડેરીના રક્ષણની ભૂમિકામાં હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત મહેસાણા-પાટણ જિલ્લાના પશુપાલકોને રાજસ્થાન કરતા દૂધના ભાવ ઓછા મળે છે તે વિસંગતાઓ આગામી સમયે દૂર કરવા કામ કરાશે તેવું ઉમેર્યું હતું.આ સંમેલન માં પશુપાલક ભાઈ-બહેનો સહિત અર્બુદા સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here