છોટાઉદેપુર નગરના બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જન્મોત્સવ ધામધૂમથી મનાવાયો

છોટાઉદેપુર, સકિલ બલોચ :

છોટાઉદેપુર નગરના બ્રહ્મસમાજ દ્વારા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ગ્યાન શક્તિ અને સાહસના પ્રતીક ભગવાન પરશુરામ જી ની જન્મ જયંતી ની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી આજરોજ પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે બ્રહ્મસમાજ દ્વારા ભગવાન પરશુરામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સાજે 5:00 કલાકે પુરોહિત વાડા કામનાથ મહાદેવ મંદિર ખાતે મહા આરતી બાદ ત્યાંથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જે જૈન મંદિર ચાર રસ્તા કાલિકા માતા મંદિર સરદાર ચોક ગાંધી ચોક સરદાર બાગ પોસ્ટ ઓફિસ થઈ નવાપુરા બ્રાહ્મણ વાડી ખાતે શોભાયાત્રાનું સમાપન થયું હતું આ શોભાયાત્રાનો ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રામાં બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here