સિદ્ધપુરના વિવિધ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

ધાર્મિક નગરી સિદ્ધપુરમાં ગામધણી શ્રી ગોવિંદરાયજી શ્રી માધવરાયજી મંદિર,શ્રી રણછોડ રાયજી,શ્રી ગોવર્ધનનાથજી,શ્રી રાધા કૃષ્ણના,શ્રી ધૂધલીમલ ગુરુ મહારાજ સહીતના વિવિધ પ્રાચીન મંદિરોમાં શ્રીજીના જન્મોત્સવની ભક્તિભાવ તેમજ પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી.જન્માષ્ટમી પર્વે શ્રીજીના નિજમદિરોમાં કોરોના ગાઈડલાઈનને અનુસરી જય રણછોડ માખણચોર,નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના જેવી અનેક ઘુન બોલાવી ભાવિક ભક્તો ભક્તિમાં ભાવવિભોર બન્યા હતા.મધરાતે બાર વાગ્યે કૃષ્ણ જન્મોત્સવ બાદ બાલગોપાલની આરતી ઉતારવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here