સમા ભાદરોલી કેનાલ રોડ ઉપર અકસ્માત સર્જાતાં બાઈક સવારનું મૃત્યું નીપજ્યું…

કાલોલ,(પંચમહાલ) મૂસ્તુફા મીરઝા :-

પ્રાપ્ત માહિતી મુજબ સાવલી તાલુકાના આકલીયા ગામે રહેતાં નીતિનભાઈ શકરાભાઈ પરમાર ઉં.વ.35 જે પોતાની મોટર સાઈકલ જેનો નં. GJ 06 NK 7667 લઈને પોતાનાં ઘર તરફથી ખડેવાળ ગામ તરફ તેમની સાસરીમાં જતાં હતાં તે સમયે સમા ભાદરોલી કેનાલ રોડ ઉપર થઈને જતાં પોતાની મોટર સાઈકલ પુર ઝડપે અને ગફળતભરી રીતે હંકારીને લઈ જતાં અચાનક મોટર સાઈકલ સ્લીપ મારતાં કેનાલની પડઘી સાથે અથડાતાં મોટર સાઈકલ સાથે રોડ ઉપર પછડાતા તેને માથાના આગળ પાછળના ભાગમાં તેમજ મોઢાંના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચતા 108 મારફતે કાલોલ રેફરલ હોસ્પિટલમાં દવા સારવાર માટે લઈ ગયાં હતાં જ્યાં ફરજ પરના ડોક્ટરે ગંભીર ઇજાઓ થયેલી હોવાને કારણે દવા સારવાર દરમ્યાન મરણ થયેલ હોવાનું જણાવ્યું હતું.ત્યારબાદ ઘટનાની જાણ સ્થાનિક પોલીસ ને થતાં આગળની કાર્યવાહી હાથ ધરેલ છે….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here