સંત નિરંકારી મિશન,દિલ્હીના લોકપ્રિય લેખક ગીતકાર મહાત્મા જગતજી ગોધરામાં

ગોધરા, (પંચમહાલ) વિનોદભાઇ માછી નિરંકારી :-

સંત નિરંકારી મિશન,દિલ્હીના લોકપ્રિય લેખક ગીતકાર પરમ આદરનીય મહાત્મા જગત ગીતકારજી કે જેમને નિરંકારી સંત સમાગમોમાં અને સદગુરૂની પ્રચારયાત્રાઓમાં સાંભળવાનો મોકો મળે છે તેઓ તા.૨૮-૦૭-૨૦૨૩ને શુક્રવારના રોજ ગોધરા પધારી રહ્યા છે.તેમની અધ્યક્ષતામાં સંત નિરંકારી સત્સંગ ભવન,ભુરાવાવ,ગોધરા ખાતે સાંજેઃ ૫ થી ૭ દરમ્યાન સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવેલ છે જેમાં પધારી દર્શન સત્સંગનો લાભ લેવા વિનંતી કરવામાં આવેલ છે.સત્સંગ સમાપ્તિ પછી તમામના માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here