શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-
માન.તાલુકા વિકાસ અધિકારી, શહેરા તુલસીભાઈ બી.ઠક્કર સાહેબની સૂચના અન્વયે બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારના માર્ગદર્શન હેઠળ શહેરા તાલુકાની 244 પ્રા.શાળાઓના 35000 જેટલા વિદ્યાર્થીઓ તેમજ 1500 જેટલા શિક્ષકો, આચાર્યો વગેરે સમગ્ર શિક્ષા, શહેરા પરિવારના સંકલનમાં રહી 75 આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વાતંત્ર સેનાનીઓની યાદમાં પ્રાથમિક શાળાઓ દ્વારા પ્રભાતફેરી કરવામાં આવી. જેમાં સ્વાતંત્ર સેનાનીઓના ફોટોગ્રાફ સાથે રાખી સુત્રોચ્ચાર, તેમના જીવન પ્રસંગો વગેરેનો શાળા કક્ષાએ તેમજ શેરી ફરિયામાં સંવાદ કરવામાં આવ્યો હતો. ડૉ. કલ્પેશ આર.પરમારે સૌના સાથ સહકારથી થયેલ ઉત્તમ પ્રભાતફેરીના કાર્યને બિરદાવી શહેરા શિક્ષણ પરિવાર તમામને હ્દયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. છું.