લાડ જ્ઞાતિ ના કુળદેવી શ્રી વેરાઈ માતાજીના ભવ્ય અન્નકૂટ પ.પૂ.પા. ગોસ્વામી 108 શ્રી રવિ કુમાર જી મહારાજશ્રીના પાવન સાનિધ્યમાં

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

તારીખ 22 -11- 2022 ના રોજ કાલોલ લાડ જ્ઞાતિ તથા વેરાઈ માતા ગ્રુપ મિત્ર મંડળ દ્વારા અન્નકૂટ દર્શન નો ભવ્ય મહોત્સવ ઉજવાયો આ મહોત્સવમાં પૂજ્ય જે જેના કરકમલો દ્વારા શ્રીવેરાઈ માતાજી મંદિરના પટાંગણમાં પેવર બ્લોક તેમજ શેડ અને કમ્પાઉન્ડ બનાવવા માટે આવેલ દાનના દાતાશ્રીઓને તેમજ નગરમાંથી પધારેલા વિશિષ્ટ અગ્રણી વૈષ્ણવોને ઉપરણા ઓઢાળી આશીર્વાદ પ્રદાન કરવામાં આવ્યું. તેમજ પૂજ્ય જે જેના કરકમલો દ્વારા માતાજીની યમુનાજીના ભાવથી આરતી ઉતારવામાં આવી વૈષ્ણવોને કારતક મહિનાના શ્રી યમુનાજીના 40 દિવસો અને વેરાઈ માતાજી નું મહત્વ તેમજ તિલકના પ્રકારનું મહત્વ સમજાવવામાં આવ્યું. ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈ બહેનોએ અન્નકૂટ દર્શન ની સાથે સાથે પૂજ્ય જેજે ના આશીર્વાદ સાથે આર્શીવચન નો દિવ્ય લાભ મેળવ્યો દર્શન કરવા આવેલ તમામ વૈષ્ણવોને સુખડીના પ્રસાદ કણિકા આપવામાં આવ્યો સ્વયંસેવક જ્ઞાતિના કારોબારી સભ્યો તથા વેરાઈ માતા મિત્ર મંડળ ગ્રુપને દર્શન બાદ મહાપ્રસાદ લેવડાવવામાં આવ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here