કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
પંચમહાલ જિલ્લામાં વિધાનસભાના ઉમેદવારોએ રામ ઢોલ સાથે પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. પરંતુ હજુ ક્યાંક ને ક્યાંક રાજકીય પક્ષોએ પક્ષ પલટો કરનાર ને માન અને પક્ષ ના કાર્યકરોની કામગરી ને પ્રોત્સાહન ન મળતાં કોંગ્રેસ ના કેટલાક કાર્યકરોના જણાવ્યાં અનુસાર યુવા કાર્યકરોને અનેક રજુંવાત કરવા છતાં કોઈ તેમણે પ્રાધાન્ય આપવામાં આવતું નથી. જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટહિતના કાર્યો અને યુવાનોને પ્રોત્સાહન પ્રેરિત કાર્યોને લઈ કોંગ્રેસ થી નારાજ થઈ પાંચ પથ્થરા મુકામે પહોંચેલ ૧૨૭ – કાલોલ વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર ફતેહસિંહ ચૌહાણ ની જાહેર સભામાં કોંગ્રેસને બાઈ બાઈ કહી ભારતીય જનતા પાર્ટીમાં વિધીવત રીતે ભગવો ખેસ ધારણ કરી ને જોડાયા હતા.જેમાં તેજેન્દ્ર સિંહ પઢીયાર ( દાદુ )ઉપ પ્રમુખ પંચમહાલ જિલ્લા યુથ કોંગ્રેસ કિરપાલ સિંહ રાઠોડ મહામંત્રી પંચમહાલ જિલ્લા યુથ કોંગ્રેસ નિતિન ભાઈ મકવાણા ઉપ પ્રમુખ કાલોલ વિધાનસભા યુથ કોંગ્રેસ યોગેશ કુમાર પરમાર મહામંત્રી કાલોલ વિધાનસભા યુથ કોંગ્રેસ સાથે અનેક કાર્યકરો કોંગ્રેસ ને રામ રામ કહી ભાજપા માં જોડાયાં હતાં.