કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે 1લી અને 5મી ડિસેમ્બરે મતદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે આજ રોજ બુધવારે સવારે સાત વાગ્યે અમદાવાદ રિવરફ્રન્ટ પર સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સિમ્બાલિયન સાયકલિંગ કોમ્યુનિટી, રોટરી ક્લબ ઑફ અમદાવાદ સૂર્યોદય અને YHAI બાપુનગરની સંયુક્ત પહેલ છે, ધારાસભ્ય શ્રી જગદીશ પંચાલ અને એજી શ્રી મહેન્દ્ર પટેલે આ કાર્યક્રમને ફ્લેગોફ કર્યો છે, સિમ્બાલિયન સાયકલિંગ સમુદાયના સ્થાપક અને પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશનના હાલ અમદાવાદ સ્થીત આર્કિટેક્ટ જિજ્ઞેશ પટેલે (જીગગી) પણ યુવાનોને “છોડો છોડો” અભિયાનને સમર્થન આપવા વિનંતી કરી છે. તંદુરસ્ત અને ફિટ ઈન્ડિયા માટે તમાકુ અને ડ્રગ્સને ના કહો નું સુત્ર આપ્યુ છે.