મોરબી, આરીફ દિવાન :-
ગુજરાતમાં તાજેતરમાં જ આવેલા કમોસમી વરસાદ ના કારણે ગુજરાતના વિવિધ વિસ્તારો સહિત મોરબી શહેર જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હોય જેથી મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને કમોસમી વરસાદ અંતર્ગત મોટું નુકસાન થયેલ હોય જેના અનુસંધાને ખેડૂતો આત્મનિર્ભર બની શકે તેવા તે માટે ગ્રામ્ય વિસ્તારોમાં સરકાર દ્વારા સર્વે કરી ખેડૂતોને ઉભા પાકને નુકસાન ની ભરપાઈ તત્કાલ કરવા માં આવે તેવી માંગણી ભેર લાગણી વ્યકત જેન્યુન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કરવામાં આવી છે આ સંસ્થાના ના પ્રમુખ આરિફ ભાઈ બ્લોચ દ્વારા ખેડૂતોના હક હિત અધિકાર આજના ડિજિટલ યુગમાં ખેડૂતોને ઝડપી યોગ્ય સમયે ખેડૂત ને મળે તે ખરા અર્થમાં વિકાસ કર્યો કહેવાય ચૂંટણી સમયે નેતાઓ દ્વારા પ્રજાહિત અને ખેડૂત ચિંતક મોટા મોટા ભાષણો કરવામાં આવે છે પરંતુ સત્તા મળ્યા પછી ખેડૂતોના હક હિત અધિકાર માટે મોટાભાગે નેતાઓના દર્શન દુર્લભ હોય છે ત્યારે કાયમી પ્રજા ચિંતક સ્થાનિક ધારાસભ્યો સંસદસભ્યો પ્રજાહિત કાર્યોમાં રહે તેવી લાગણી સાથે માગણી કરી છે સાથે હાલમાં આવેલા કમોસમી વરસાદમાં ખેડૂતોના ઉભા પાકને નુકસાનની ભરપાઈ કરવામાં આવે તેમ માંગણી ભેળ લાગણીને ધ્યાને રાખી સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન અંગે સર્વે કરી નુકસાની અંગે ભરપાઈ ઝડપી કરવામાં આવે તેમ જેન્યુન ફાઉન્ડેશન સંસ્થાના પ્રમુખ આરીફ બ્લોચ એ જણાવ્યું છે.