મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

ગણેશ ઉત્સવ અને ઈદેમિલાદપવૅ ને લઈ શાંતિ સમિતિની બેઠક ઇન્ચાર્જ પી.આઈ એમ.ડી પંચાલ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી

ગણેશ ઉત્સવ નિમિત્તે ગણેશજીની શોભાયાત્રા શહેરના નિયત માર્ગો ઉપર ફેરવવામાં આવશે

ઈદ-એ-મિલાદ પર્વનું જુલુસ નિયત કરેલા માર્ગો ઉપર શહેરની વિવિધ મસ્જિદો દ્વારા સવારે સાત વાગે કાઢવામાં આવશે

બપોરે દાવતે ઈસ્લામી દ્વારા ઈદ એ મિલાદનું જુલુસ કાઢવામાં આવશે, જેમાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહેશે

આ મીટીંગ માં મોડાસાની શહેર ની ગણેશ ઉત્સવ સમિતિના આયોજકો સામાજિક સંસ્થાના આગેવાનો શહેરના અગ્રણીઓ અને મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ દાવતે ઈસ્લામીના જવાબદારો મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here