મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-
અરવલ્લી જિલ્લામાં મોડાસાના ટાઉનહોલ ખાતે રોજગાર વિભાગ દ્વારા રોજગાર નિમણુક પત્રો અને એપ્રેન્તિસશિપ કરારપત્રોનો વિતરણ કાર્યક્રમ યોજાયો. જેમાં જિલ્લાના વિવિધ ક્ષેત્રે નીકળી મેળવેલ વિદ્યાર્થીઓને નિમણુક પત્રો એનાયત કરાયા.
આજના કાર્યક્રમમાં જિલ્લાના યુવાનોને અનુબંધમ પોર્ટલ અંગે માહિતી આપવામાં આવી. અનુંબંધમ પોર્ટલના મદદથી યુવાનો કેવી રીતે રજીસ્ટ્રેશન કરી શકે છે અને નોકરી મેળવી શકે છે તે અંગે પણ યુવાનોને માહિતગાર કરાયા.આજના કાર્યક્રમ દરમિયાન પ્રતીકાત્મક રૂપે ૧૫ યુવાનોને નિમણુક પત્રો અને કરારપત્રો એનાયત કરવામાં આવ્યા.
આજના કાર્યક્રમમાં માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી લાલસિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ શ્રી જલ્પાબેન ભાવસાર, જિલ્લા અધિક નિવાસી કલેકટર શ્રી એન. ડી. પરમાર, જિલ્લા રોજગાર કચેરીમાં અધિકારી શ્રી સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.