બનાસકાંઠામાં કોરોના સંક્રમણના કેસોમાં વધારા સહિત જીવલેણ મ્યુકરમાયકોસિસના 4 કેસ સામે આવતા ફફડાટ..

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ત્રણ ગંભીર દર્દીને અમદાવાદ રીફર કરાયા છે જ્યારે એક દર્દીને પાલનપુર સિવિલના આઇસોલેશન વોર્ડ માં સારવાર ચાલુ કરાઈ..

બનાસકાંઠા જિલ્લામાં મ્યુકરમાય કોસિસ નામના જીવલેણ રોગે દેખા દેતા આરોગ્ય તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો..

બનાસકાંઠા જિલ્લામાં એક અઠવાડિયામાં મ્યુકરમાયકોસિસના ચાર કેસ સામે આવતા આ રોગની ગંભીરતાને લઈ પાલનપુર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાયકોસિસના દર્દીઓ ની સારવાર માટે ૧૫ બેડ નો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here