પોતાના કુખે ઉછેરી રહેલા સંતાનને જન્મ આપીને ઉછેરવાની અધૂરી કહાની…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

મધર્સ ડેના દિને સર્જાયેલ કરુણાતિકામાં કાલોલના વ્યાસડા ગામે સગર્ભા માતા મીનાક્ષીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરતા ભારે ચકચાર.!!

આજના મધર્સ ડે ના દિને પોતાના સંતાનોના ઉછેર માટેની માતાઓની સંઘર્ષ ભરી કહાનીઓમાં એક સગર્ભા માટે પોતાના કુખે ઉછરી રહેલા સંતાનને જન્મ આપીને ઉછેરવાના અરમાનો પોતાના હૈયામાં હમેંશા માટે દફનાવી દઈને લીધેલા અંતિમ પગલામાં કાલોલના વ્યાસડા ગામની ૨૩ વર્ષીય સગર્ભા મહિલા નામે મીનાક્ષીબેન પરમારે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર પ્રસરી જવા પામી છે. જો કે લાડલી દીકરીના ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની ખબરોથી દોડી આવેલા મૃતક પરિણીતાના સ્વજનો દ્વારા પતિના ત્રાસને લઈને અમારી દીકરીએ આત્મહત્યા કરી હોવાના આક્ષેપો કર્યા હતા.
પંચમહાલના કાલોલ તાલુકામાં આવેલા વ્યાસડા ગામે રહેતા એક પરિવારની ૨૩ વર્ષીય ગર્ભવતી મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા નાનકડા ગામમાં ચકચાર પ્રસરી જવા પામી છે. ગામના ખેડા ફળિયામાં ૨૩ વર્ષીય ગર્ભવતી મહિલા મીનાક્ષી પરમારે પતિના અસહ્ય ત્રાસથી કંટાળી જઈ ગર્ભમાં રહેલા સાત મહિનાના બાળક સાથે આપઘાત કરી લીધો હોવાની હકીકતો જાણવા મળી છે, વેજલપુર પોલીસે આ સમગ્ર મામલે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
કાલોલ તાલુકાના વ્યાસડા ગામે ૨૩ વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. ગામના ખેડા ફળિયામાં રહેતા હિમાંશુ પરમાર દ્વારા તેની પત્ની મીનાક્ષીને ત્રાસ આપવામાં આવી રહ્યો હતો, આજે પતિના ત્રાસ થી કંટાળેલી પરિણીતાએ પેટમાં રહેલા સાત માસના બાળક સાથે જીવન ટૂંકાવી લેતા આ મામલે ગામમાં ચકચાર પ્રસરી જવા પામી છે. જાણવા મળ્યા મુજબ ગામમાં લગ્નના વરઘોડામાં જવા બાબતે પતિ પત્ની વચ્ચે તકરાર થઈ હતી. પત્નીએ પતિને વરઘોડામાં જવા ની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી જે બાદ પરિણીતાએ ઘરમાં જ સાડી નો ગાળિયો કરી ફાંસો ખાઈ લઈને આપઘાત કરી લેતા ચકચાર પ્રસરી જવા પામી છે. આ અંગે વેજલપુર પોલીસે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here