ગોધરા, (પંચમહાલ) તુષાર ચૌહાણ :-
પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરાના એન.એસ.એસ. વિભાગ દ્વારા કોટડા ગામે “મેરી માટી, મેરા દેશ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ અને પંચપ્રણ પ્રતિજ્ઞા કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં 75 જેટલાં છોડ રોપવામાં આવ્યા તથા છેલ્લે સૌ મળી પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી. આ કાર્યક્રમમાં એન.એસ.એસ.ના સ્વયં સેવકો, પ્રોગ્રામ ઓફિસર હરદેવસિંહ ગોહિલ, આચાર્ય શ્રી ડો. વિનોદ પટેલીઆ, ડો. વિજયભાઈ નિનામા, તેમજ ગુજરાતી વિભાગના આઘ્યપક શ્રી પ્રતિકભાઈ શ્રીમાળી હાજર રહ્યા હતા.