પંચમહાલ : ૨૩ ડિસેમ્બરના રોજ જિલ્લા સેવાસદન ખાતે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

૧૦ ડિસેમ્બર સુધીમાં પોતાની અરજીઓ કલેકટર કચેરી ખાતે પહોંચાડવાની રહેશે

નિવાસી અધિક કલેક્ટરશ્રી, પંચમહાલની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આગામી ૨૩.૧૨.૨૦૨૧ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. જે માટે અરજદારોએ પોતાની અરજી તા. ૧૦.૧૨.૨૦૨૧ સુધીમાં કલેક્ટર કચેરી ખાતે પહોંચાડવાની રહેશે. અરજદારે અરજીમાં ફરજિયાત રીતે પોતાનું નામ-સરનામું, મોબાઈલ નંબર, સહી કરીને પ્રશ્નો મોકલવાના રહેશે. સરકારી કર્મચારીની નોકરી ને લગતા પ્રશ્નો, કોર્ટ મેટર ને લગતા પ્રશ્નો તથા અસ્પષ્ટ રજૂઆતવાળી અરજીઓ, એક કરતાં વધુ કચેરી/વિભાગને સંલગ્ન પ્રશ્નો, વ્યક્તિગત આક્ષેપવાળી અરજીઓ, આંતરિક તકરારને લગતી અરજીઓ ન મોકલવી. જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરતા પહેલાં જે તે સંલગ્ન કચેરીને અરજી કરેલી હોવી જોઈએ અને જો જવાબ મળેલ ન હોય તો જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી ધ્યાને લઇ શકાશેમાટે જિલ્લા સ્વાગતની અરજી સાથે જે-તે કચેરીને કરેલી અરજીની નકલ જોડવાની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here