ડભોઇમાં ડ્રેનેજની સમસ્યા અને કચરાના ઢગથી છુટકારો ક્યારે..!? મોરવાળી જીનમાં ડ્રેનેજની અધૂરી કામગીરીને લઇ સ્થાનિકો દ્વારા નગર પાલિકામાં હલ્લા બોલ

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ નગરમાં ડ્રેનેજ ની સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ બની રહી ભાજપ દ્વારા સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ ના સૂત્ર ને ભાજપ શાસિત ડભોઇ નગરપાલિકા એ નેવે મુકયો હોય એમ લાગી રહયુ છે.જ્યારે આ વિકરાળ બનેલ સમસ્યાને પત્રકારો દ્વારા મીડિયામાં ઉજાગર કરતા ડભોઈ નગર પાલિકા સફાળુ જાગી મોરવાળી જીન માં ડ્રેનેજ ની કામગીરી આરંભી હતી.પરંતુ કયા કારણો સર પાલિકાના કર્મચારીઓ દ્વારા કામગીરીને વીસ દિવસ ઉપરાંત થી પડતી મૂકી દેવાતા સ્થાનિકો ત્રાહિમામ થઈ ચૂક્યા છે.સાથે બીજી બાજુ સ્ટેટ બેંક પાસે નર્કાગાર નિ સ્થિતિ સર્જાઈ છે.જેમાં પાલિકાના કર્મચારીઓ આજુબાજુ ના વિસ્તારનો કચરો પણ ખુલ્લી જગ્યામાં ઠાલવી દેતા કચરા અને ગંદકી થી ખદબદતા ઢગલા જોવા મળે છે. જ્યારે મોરવાલા જીન માં ભાજપ ના સંગઠન કેટલાક હોદ્દેદારો રહેતા હોવા છતાંય ડ્રેનેજ ની સમસ્યા નું સમાધાન થતું ના હોય એક ચર્ચા નો વિષય બનવા પામ્યો છે. ત્યારે ડભોઈ નગર પાલિકા ના પ્રમુખ અને ડ્રેનેજ સમિતિ ના ચેરમેન સરકારી ગાડી છોડી ચાલતા નીકળી નગર માં વિકરાળ બનેલ સમસ્યાનું અભ્યાસ કરે તો તેઓને નગરજનો કેટલી તકલીફો ભોગવી રહ્યા છે.તેનો આભાસ થાય તેવું સાથનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.
જ્યારે ખોદેલ ખડા ને લઇ કેટલાક વાહન ચાલકો ખાડામાં ફસડાયા હતા.સાથે ખાડા માં નાના બાળકો રમત રમતા પડી જવા પામ્યા હતા.જેને લઇ કાલ ઉઠી કોઈ આવી ઘટના બને તો તેનો જવાબદાર કોણ જેવા સવાલો સ્થાનિકો દ્વારા ઉઠાવવા માં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here