પંચમહાલ જિલ્લામાં નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી યોજાશે

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ ગોધરા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

પંચમહાલ જિલ્લામાં તા.15મી ઓગસ્ટ, 2021 ના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગોધરાના પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બી.આર.જી.એફ. ભવન, ગોધરા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીની તૈયારી રૂપે સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રા અને જિલ્લા પોલિસ વડા ડો. લીના પાટિલની ઉપસ્થિતિમાં આજે સવારે 09.00 કલાકે યોજાયું હતું. કલેક્ટરશ્રીએ સમગ્ર કાર્યક્રમના સુચારૂ આયોજન સંદર્ભે સંબંધિત અધિકારીઓ બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, પીવાના પાણીની વ્યવસ્થા, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની કોરાના ગાઈડલાઈનનું પાલન સહિતની બાબતો અંગે સૂચના આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here