કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-
પંચમહાલ જિલ્લામાં વેજલપુર સ્થિત જવાહર નવોદય વિદ્યાલયમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨3માં ધો. ૯ની ખાલી પડેલ બેઠકો પર પ્રવેશ અંગે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. આ અરજી કરવા માટે ઓનલાઈન પોર્ટલ તા.૧૩ સપ્ટેમ્બર-૨૦૨૧થી શરૂ થયેલ છે. ઓનલાઈન અરજી ભરવા માટે નવોદય વિદ્યાલય સમિતીની વેબસાઈટ www.navodaya.gov.in અથવા www.nvsadmissionclassnine.in પરથી નિઃશુલ્ક ભરી શકાશે. ઓનલાઈન અરજી સ્વીકારવાની અંતિમ તારીખ ૩૧ ઓક્ટોબર-૨૦૨૧ છે તેમ જેએનવી, વેજલપુરના આચાર્ચશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.