પંચમહાલ જિલ્લામાં ગૃહરાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં 72મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાશે

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

ગોધરા પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કરી પરેડ નિરીક્ષણ કરશે

પૂર્વ તૈયારીઓના ભાગરૂપે રિહર્સલ યોજાયું, જિલ્લા કલેક્ટરશ્રીએ તૈયારીઓની સમીક્ષા કરી

કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને 400ની મર્યાદામાં મહેમાનો ઉપસ્થિત રહેશે

પંચમહાલ જિલ્લામાં આગામી 26મી જાન્યુઆરી, 2021ના 72મા પ્રજાસત્તાક દિનનો ઉજવણી કાર્યક્રમ ગોધરાના પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગૃહરાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાશે. કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર 400 ઉપસ્થિતજનોની મર્યાદામાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 09.00 કલાકે ગૃહરાજ્યમંત્રીશ્રીના વરદહસ્તે ધ્વજવંદન અને સલામી યોજાશે. ત્યારબાદ મંત્રીશ્રી દ્વારા પરેડ નિરીક્ષણ અને ઉદબોધન કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લાના વિશિષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓ-કર્મચારીઓ-અધિકારીઓને મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર દ્વારા સન્માન પણ કરવામાં આવશે. કાર્યક્રમની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ગોધરા પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે રિહર્સલ યોજાયું હતું. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા અને જિલ્લાના પોલિસ વડા ડો. લીના પાટિલે પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી ફેરફારો અંગે સૂચના-માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રીએ પરેડ નિરીક્ષણ કરી કાર્યક્રમ સુચારૂરૂપે યોજાય તે માટે કોરોના સંક્રમણ માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને બેઠક વ્યવસ્થા, પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ, પરેડ, વૃક્ષારોપણ, પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ વિશે વિગતવાર માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું હતું. પ્રજાસત્તાક દિનને ધ્યાનમાં રાખીને જિલ્લાની સરકારી કચેરીઓને રોશની કરી શણગારવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here