પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણનો એક નવો કેસ નોંધાયો, 04 દર્દીઓ સારવાર બાદ ઘરે પરત ફર્યા

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

કુલ સક્રિય દર્દીઓની સંખ્યા 16 રહી, કુલ કેસનો આંક 3955 થયો

પંચમહાલ જિલ્લામાં આજે કોરોનાનો એક નવો કેસ મળી આવ્યો છે. ગોધરા શહેરમાંથી આ એકમાત્ર કેસ નોંધાયો છે. 04 દર્દીઓને દર્દીઓને રજા આપવામાં આવતા હાલ જિલ્લામાં સક્રિય કેસોની કુલ સંખ્યા 16 થવા પામી છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2892 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ 1063 કેસ મળી આવ્યા છે. હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 3955 થવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here