ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા
કુલ કેસનો આંક 3947 થયો
પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના કુલ 03 નવા પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જ્યારે 03 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવતા હાલમાં સક્રિય કેસોની કુલ સંખ્યા 26 થવા પામી છે. જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. આજે મળી આવેલા કુલ 03 કેસમાંથી શહેરી વિસ્તારમાંથી ૦1 અને ગ્રામ્યમાંથી 02 કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી 01 અને કાલોલ ગ્રામ્યમાંથી 01 અને ગોધરા ગ્રામ્યમાંથી 01 કેસ મળી આવ્યા છે. આ સાથે શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2885 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ 1062 કેસ મળી આવ્યા છે. હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 3781 થવા પામી છે.