પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણના સક્રિય કેસોની સંખ્યા ઘટીને ૩૫ થઈ

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

આજે કોરોના સંક્રમણના નવા ૦૪ કેસો નોંધાયા ૦૫ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ

કુલ કેસનો આંક ૩૯૦૩ થયો કોરોનાને પછડાટ આપી ૩૭૨૯ દર્દીઓ સાજા થયા

પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના નવા ૦૪ કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા ૩૯૦૩ થવા પામી છે. ૦૫ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને ૩૫ થઈ છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસો પૈકી શહેરી વિસ્તારોમાંથી ૩ અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૦૧ કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં કેસોની વિગત જોઈએ તો ગોધરામાંથી ૦૨ અને હાલોલ શહેરમાંથી ૦૧ એમ કુલ ૦૩ કેસો મળી આવ્યા છે. આ સાથે શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૨૮૫૫ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી આજે ૧ કેસ મળી આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૧૦૪૮ કેસ મળી આવ્યા છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૦૫ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા ૩૭૨૯ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૩૫ થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here