પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણના સક્રિય કેસોની સંખ્યા 77 થઈ

આજે કોરોના સંક્રમણના નવા 05 કેસો નોંધાયા 12 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ

કુલ કેસનો આંક 3875 થયો કોરોનાને પછડાટ આપી 3661 દર્દીઓ સાજા થયા

ઇશાક રાંટા, ગોધરા(પંચમહાલ)

પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના નવા 05 કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 3875 થવા પામી છે. 12 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા 77 થવા પામી છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસો પૈકી ગોધરા શહેરમાંથી 03 કેસ, હાલોલમાંથી 01 કેસ મળી આવ્યા છે. આ સાથે શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2835 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાંથી આજે 1 જ કેસ મળી આવ્યો છે, કાલોલ ગ્રામ્યમાંથી 01 કેસ મળી આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ 1040 કેસ મળી આવ્યા છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ 12 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 3661 થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 77 થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here