પંચમહાલ જિલ્લામાં આવતીકાલે ધાર્મિક સ્થળો,મ્યુઝિયમ સહિત પ્રવાસન સ્થળો ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાશે

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન જન આંદોલનમાં પરિણમતા વિવિધ સ્થળોએ સ્વચ્છતાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે તેમના સ્વચ્છતા અંગેના આદર્શ વિચારોને સાર્થક કરવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.સરકારશ્રી દ્વારા સ્વચ્છતા અભિયાનને ૧૫ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યું છે.જેમાં દર રવિવારે અલગ અલગ થીમ આધારિત સ્વચ્છતા અભિયાનનું આયોજન કરાયું છે.

પંચમહાલ જિલ્લામાં આવતીકાલે તમામ તાલુકા ખાતે ધાર્મિક સ્થળો,મ્યુઝિયમ સહિત પ્રવાસન સ્થળો ખાતે સામૂહિક સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.આ અભિયાનમાં વિવિધ હોદ્દેદારો,પદાધિકારીઓ, અધિકારીઓ,કર્મચારીઓ સહિત ગ્રામલોકો પણ જોડાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here