ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-
ગોધરા અને કાલોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં PMJAY-MA કાર્ડનું વિતરણ
પંચમહાલ જીલ્લામાં આવતીકાલે તા. 21.10.2021નાં રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રીસુશ્રી નિમિષાબેન સુથારના અધ્યક્ષસ્થાને આપકે દ્વારા આયુષ્માન અંતર્ગત PMJAY-MA કાર્ડનો વિતરણ કાર્યક્રમ અને મેગા હેલ્થ કેમ્પનો ઉદઘાટન કાર્યક્રમ યોજાશે. જનરલ હોસ્પિટલ, ગોધરા ખાતે સવારે 10.00 કલાકે અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર, કાલોલ ખાતે બપોરે 03.00 કલાકે યોજાનાર આ કાર્યક્રમોમાં મહાનુભાવોના હસ્તે PMJAY-MA કાર્ડના લાભાર્થીઓને કાર્ડનું વિતરણ કરવા ઉપરાંત નવા લાભાર્થીઓની અરજી સ્વીકારવામાં પણ આવશે. આ ઉપરાંત મેગા હેલ્થ કેમ્પ અંતર્ગત વડોદરા, અમદાવાદથી મેમો ગ્રાફી અને પેપ સ્મીયર ટેસ્ટની સુવિધા ધરાવતા સંજીવની રથ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેનો લાભ વિવિધ લાભાર્થીઓ વિનામૂલ્યે મેળવી શકશે. કાર્યક્રમમાં દિવ્યાંગતા પ્રમાણપત્રો તેમજ દિવ્યાંગોને વિવિધ યોજનાઓ અંતર્ગત લાભોનું વિતરણ પણ કરવામાં આવશે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કુ.કામિનીબેન સોલંકી, સાંસદશ્રી રતનસિંહ રાઠોડ, ગોધરા ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી, હાલોલ ધારાસભ્યશ્રી જયદ્રથસિંહ પરમાર, કાલોલના ધારાસભ્યસુશ્રી સુમનબેન ચૌહાણ તેમજ અતિથી વિશેષ તરીકે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી મનોજ અગ્રવાલ ઉપસ્થિત રહેશે તેમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિમંત્રણમાં જણાવાયું છે.