પંચમહાલ જિલ્લામાં આજે કૃષિ રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને હાલોલ ખાતે શિક્ષક દિન ઉજવણી કાર્યક્રમ યોજાશે

હાલોલ,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક આપી સન્માનિત કરવાનું આયોજન

સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને પ્રખર શિક્ષાવિદ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ દેશભરમાં શિક્ષક દિન તરીકે ભારે ભાવપૂર્વક ઉજવવામાં આવે છે. આ જ શ્રેણીમાં આવતીકાલે ૫ સપ્ટેમ્બરના રોજ પંચમહાલ જિલ્લામાં પણ હાલોલ ખાતે કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને શિક્ષક દિનના ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હાલોલ નગરની વી.એમ. શાહ ગુજરાતી માધ્યમ સ્કૂલ ખાતે સવારે ૧૧.૦૦ કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે જિલ્લામાં શિક્ષણક્ષેત્રે નોંધનીય પ્રદાન આપનારા શિક્ષકોને પારિતોષિક વિતરણ સાથે સન્માન કરવામાં આવશે. પંચમહાલ સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ, છોટા ઉદેપુર સાંસદ સુશ્રી ગીતાબેન રાઠવા અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનપદે તેમજ ધારાસભ્ય સર્વશ્રી સી.કે. રાઉલજી, શ્રી જેઠાભાઈ આહિર, સુશ્રી સુમનબેન ચૌહાણ તેમજ હાલોલ નગરપાલિકાના સુશ્રી વિભાક્ષીબેન દેસાઈ કાર્યક્રમમાં અતિથી વિશેષપદે ઉપસ્થિત રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here