પંચમહાલ જિલ્લાના ભાણપુરા ગામના વિનોદભાઇ બારીયાની પ્રેરણાદાયક શક્ક્રરટેટીની આધુનિક બાગાયત ખેતી

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લામાં પ્રથમ મલ્ચીંગ સાથે મંડપ પર શક્ક્રરટેટીની ખેતી કરી વિનોદભાઇએ અન્ય ખેડૂતોને નવો રાહ ચીંધ્યો

બાગાયત વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લઇ તરબુચ, મરચી, ટામેટા ની ખેતી કરી આર્થિક સધ્ધરતા મેળવી

પંચમહાલ જિલ્લાનાં જાબુઘોડા તાલુકાના ભાણપુરા ગામનાં પ્રગતિશીલ ખેડૂત વિનોદભાઇ ભીમસીંગભાઇ બારીયા તેઓ ખેત વ્યવસાય સાથે પોતાના પરિવારનું ગુજરાન કરી રહ્યા છે, જેઓ ગ્રામ્ય વિસ્તારમાં પોતાની ૬ એકર જમીનમાં શાકભાજી અને ફળોની ખેતી કરી આર્થિક સધ્ધરતા મેળવી છે.
વિનોદભાઇ બારીયા પ્રતિભાવ આપતાં જણાવે છે કે છેલ્લા પાંચ વર્ષથી બાગાયતી ખેતી સાથે સંકળાઇ બાગાયત વિભાગનું માર્ગદર્શન મેળવી મે પોતાની ડાંગર, મકાઇની પરંપરાગત ખેતીની સાથો સાથ શાકભાજી અને ફળોની આધુનિક બાગાયત ખેતી તરફ વળ્યો છું. આ અગાઉ પરંપરાગત ખેત પધ્ધતિ અપનાવીને ઓછું ઉત્પાદન મેળવતો હતો, પરંતુ બાગાયત ખાતાના સંપર્કમાં આવતા તાલીમ, પ્રેરણા પ્રવાસ અને કૃષિ વૈજ્ઞાનિકો પાસેથી નીત નવી ટેક્નોલોજીથી માહિતગાર થવાને લીધે પ્રથમ શરૂઆત કરતા મે ડ્રિપ ઇરીગેશન પધ્ધ્તી સાથે મરચી, ટામેટી તથા શાકભાજીની ખેતી કરતો હતો. ત્યાર પછી પ્લાસ્ટીક મલ્ચીંગ સાથે મે તરબુચ ની ખેતી કરી હતી. ખેતી માટે મલ્ચીંગ, હાઇબ્રીડ બીયારણ અને અર્ધ કાચો મંડપ બનાવવાની અને વિવિધ યોજનાઓની પ્રોત્સાહક સહાય બાગાયત ખાતા દ્વારા મેળવી હતી.
ત્યારબાદ નોન્યુ સીડ્સ કંપની મારફત મલ્ચીંગ સાથે શક્ક્રરટેટી ની ખેતી વિષયક માર્ગદર્શન મેળવી ઓપન ફિલ્ડમાં નફાકારક ખેતી કરેલ છે. ચાલુ વર્ષમાં ૧૦ ગુંઠા ના વિસ્તારમાં ક્રોપ કવર ના સ્ટ્કચર સાથે રક્ષીત વાતાવરણમાં થતી નોન્યુ સીડ્સ કંપનીની ચાર જાતો જેવી કે આલીયા, મધુમતી, મીનાક્ષી, રોમીયા ના કુલ અંદાજીત ૨૨૫૦ છોડ નુ ટ્રેલીઝ પધ્ધતી થી ખેતી કરેલ છે. જેમા આ બધી જાતોના બિયારણ ની કિમંત અંદાજીત રૂા. ૭ માં એક બિયારણનો દાણો પડેલ છે અને તેનુ ઉત્પાદન ૧ છોડ દીઠ ૧ ફળ લેવાનુ હોય છે જેનુ અંદાજીત વજન ૧.૫ થી ૨ કી.ગ્રા નુ હોય છે. જેનુ માર્કેટ બહારના રાજયોમાં ખેડુતો ખેતી કરી અંદાજીત આ જાતોના ફળ ની કિમત રૂપિયા ૩૦૦ એક કિ.ગ્રામે મેળવે છે. હાલ ગુજરાતમા શરૂઆત કરતા અંદાજીત કિંમત રૂ. ૧૫૦-૨૦૦ એક કિ.ગ્રામે મળવાની શકયતાઓ જણાઇ રહેલ છે. આમ ૧૦ ગુંઠાના વિસ્તારમા કુલ બે લાખ ના ખર્ચ સામે અંદાજીત કુલ પાંચ લાખ ની આવક થવાનો અંદાજ છે.આમ કુલ ત્રણ (૩) લાખ નો ચોખ્ખો નફો ૧૦ ગુંઠા માં મને મળશે. મે પંચમહાલ જિલ્લામાં અને ગુજરાતમાં પણ આ આલીયા, મધુમતી, મીનાક્ષી, રોમીયા શક્ક્રરટેટી બાગાયતી પાકની પ્રથમ ખેતી કરેલ છે.
સાથો સાથ તેઓ જણાવે છે કે બાગાયત ખેતીમાં જી.જી.આર.સી દ્વારા ટપક-સિચાંઇ, સંકલીત પોષણ વ્યવસ્થાપન, સંકલીત જીવાત નિયંત્રણ, ગ્રેડીંગ પધ્ધતિ વગેરે જેવી જાણકારી મેળવીને તેને ખેત પધ્ધતિમાં અમલમાં મુકવાને લીધે જૈવિક કલ્ચર, બાયો-કંપોષ્ટ, માઇક્રો ન્યુટ્રીયન્ટ ખાતરનો ઉપયોગ કરી રાસાયણીક ખાતરના વપરાશમાં ઘટાડો થવાને લીધે ખેતી ખર્ચ અને ખાતર ખર્ચ પણ ઘટી જવાથી હું હવે એકંદરે સારી આવક મેળવી રહ્યાં છે. મારા આ સાહસ માટે ક્રોપ કવર માટે બાગાયત વિભાગ દ્વારા પ્રોત્સાહન માટે મદદરૂપ થવા પુરતી ખાત્રી આપેલ છે.
નાયબ બાગાયત નિયામકશ્રી ગોધરાએ જણાવ્યું કે તેમની કચેરી દ્વારા વિનોદભાઇને અને જિલ્લાના અન્ય ખેડૂતોને પણ હાઇબ્રીડ બીયારણ શાકભાજી, પ્લાસ્ટીક મલ્ચીંગ અને મંડપ પધ્ધ્તી કરવા માટે પણ સહાય આપવામાં આવી છે. જેના કારણે જિલ્લાના ખેડૂતો બાગાયત ખેતી તરફ વળે અને બાગાયત ખેતી કરી આર્થિક સધ્ધરતા મેળવે.
પંચમહાલ જીલ્લાના જાબુઘોડા તાલુકા તથા અન્ય તાલુકાના ગામોના ખેડૂતોએ મારા અનુભવનો લાભ લીધો છે તેમજ મલ્ચીંગ દ્વારા ખેતી કરી છે. ખેડૂતો સમયાંતરે મારા ફાર્મની મુલાકાત લઇ ખેત પધ્ધતિ અપનાવેલ છે.આ ખેતી ઓછા પાણી વાળા વિસ્તાર માટે આશીર્વાદ સમાન છે. તેમજ આડોશ-પાડોશના ખેડૂતોને પણ બાગાયતી પાક ઉત્પાદન માટેની પ્રેરણા મેળવીને તેઓ પણ હવે બાગાયતી પાકો તરફ વળ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here