રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-
સટેચયુ ઓફ યુનિટી , નર્મદા ડેમ પાસે વસવાટ કરતા નર્મદા ડેમ ના અસરગ્રસ્ત આદિવાસીઓ પોતાની જમીનો મકાન છોડવા તૈયાર જ નહોતા ત્યારે ભારે સમજાવટ અને રાહત પેકેજો આપતા ધીરેધીરે મામલો થાળે પડી રહ્યો છે , કેટલાક અસરગ્રસ્ત આદિવાસી પરિવારો ને ગોરા ગામ ખાતે બનાવવામાં આવેલ આદર્શ ગામ વસાહત મા વસાવવાનું કામ શરુ કરી દેવાયું છે, ત્યારે અસરગ્રસ્ત પ્રેમીલાબેન સોમાભાઈ તડવી નામની મહિલા એ પોતાની ખુશી વ્યકત કરી જણાવ્યું હતું કે અમોને વસાહત મા પાકુ મકાન આપવામાં આવ્યુ છે જયાં દરેક પ્રકાર ની સુવિધા પણ ઉપલબ્ધ સરકાર દ્વારા કરાવવામાં આવી છે, આ મહિલા એ ભારે આનંદ વયકત કર્યો હતો.