દેડીયાપાડા, (નર્મદા) આશિક પઠાણ :-
નિર્મળ અને સ્વચ્છ ગુજરાતના સંકલ્પને મળી રહ્યું છે જનસમર્થન, રાજ્યના ખૂણે-ખૂણે પહોંચી રહ્યું છે સ્વચ્છતા હી સેવા અભિયાન” અંતર્ગત નર્મદાના દેડીયાપાડા તાલુકામા ગોપાલીયા પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને સબ સેન્ટર ખાતે સ્ટાફ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. હેલ્થ સેન્ટર ની ઇમારત સહિત કમ્પાઉન્ડ માં સાફ સફાઈ કરવામા આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “સ્વચ્છ ભારત”નું સૂત્ર આપ્યું હતું. ત્યારે ફરી એકવાર “ગંદકી-ભારત છોડો”નું સૂત્ર આપી સ્વચ્છતા પર ભાર મૂક્યો છે. આ સૂત્ર ને વડાપ્રધાનના આ આહ્વાન સાથે જોડાઇ ને ૧૫મી ડિસેમ્બર સુધી સ્વચ્છતાનું આ અભિયાન સફળ બનાવવા માટે સરકારી વિભાગો કમર કસી રહયા છે.