ધોરાજીમાં મહાવીર સ્વામીની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ શોભાયાત્રા બેન્ડવાજા સાથે ધોરાજીના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. આ શોભાયાત્રાનું ધોરાજીમાં ઠેર-ઠેર સ્વાગત કરી ભગવાન મહાવીરના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી.