ધાર્મિક નગરી સિદ્ધપુરમાં ધોળીપોળના મહાંઢમાં સમસ્ત સનાતની હિન્દુઓના આરાધ્યદેવ ભગવાન શ્રી રામજી ના નવીન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ

સિદ્ધપુર, (પાટણ) આશિષ આર પાધ્યા :-

ધાર્મિક નગરી સિદ્ધપુરના ધોળીપોળના મહાઢમાં સમસ્ત સનાતની હિન્દુઓના આરાધ્યદેવ ભગવાન શ્રી રામજી ના અયોધ્યા સ્થિત નવીન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પર્વની ધામધૂમ થી ઉજવણી કરાઈ હતી જેમાં શ્રીભુલેશ્વર યુવક મંડળ દ્વારા ભગવાન શ્રી રામજી ની ભવ્ય મહા આરતી નું આયોજન કરવામાં આવેલ, જેમાં નાના નાના ભૂલકાઓ એ ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, માતા સિતા, હનુમાનજી તથા શબરી માતાની વેશભૂષા ધારણ કરી ભક્તનજનોને દર્શન આપ્યા હતા મહોલ્લા ની મહિલાઓ દ્વારા વિવિધ પ્રકારના ચિત્રો દોરી રંગબેરંગી કલરો થી સુંદર રંગોળીઓ પૂરવામાં આવી હતી, શ્રીભૂલેશ્વર મહાદેવ બાપાના પ્રાંગણમાં ભગવાન શ્રી રામજી ની ફોટા સ્વરૂપે પ્રતિકૃતિ મૂકી તેમનું વૈદિક મંત્રોચ્ચારથી પૂજન અર્ચન કરી વિવિધ પુષ્પો તેમજ ધૂપ દીપ અને સેંકડો માટીના દીવા પ્રગટાવી ભાવવિભોર બની રામલલ્લા ની મહા આરતી કરવામાં આવી હતી જેમાં જય સિયા રામ,ભારત માતાકી જય ના નારાથી સમગ્ર માહોલ રામ માય બની ગયો હતો ત્યાર બાદ દરેક મોહલા વાસીઓએ પોત પોતાના ઘરે રંગબેરંગી રોશની કરી દીવડાઓ પ્રગટાવી ભવ્ય આતિશબાઝી કરી દિવાળી મનાવવામાં આવી હતી ત્યાર બાદ દરેક રામ ભક્તોને મહાપ્રસાદ નું વિતરણ કરવામાં આવેલ શ્રીભૂલેશ્વર યુવક મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here