ધાનપુર તાલુકામાં આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે “મેરી માટી, મેરા દેશ” કાર્યક્રમ યોજાયો

ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :-

માનનીય પ્રધાનંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહ્વાનથી સમગ્ર દેશમાં રાષ્ટ્રવ્યાપી અભિયાન આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે સમગ્ર દેશમાં શહીદોને વંદન માટેના “મેરી માટી, મેરા દેશ” કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે આજરોજ ધાનપુર તાલુકાનો કાર્યક્રમ યોજાયો જેમાં તિરંગા યાત્રા યોજી દીવા અને માટી સાથે પંચ પ્રાણ પ્રતિજ્ઞા, વીર શહીદોની સ્મૃતિ માટે શિલાફલકમ અનાવરણ, વૃક્ષારોપણ કરી અને નિવૃત ફોજી નું સન્માન કર્યું. આ સમયે મંત્રી શ્રી બચુભાઇ ખાબડ સાહેબે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે માનનીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આજnu ભારત પ્રગતિના પંથે વિશ્વગુરુ તરફ પ્રણાય કરી રહ્યું છે, દેશના છેવાના માનવી સુધી વિકાસની ઉજ્વળ કિરણ પોહચી રહી છે અને આવનાર સમયમાં પણ ભારત વિશ્વ ફલક પર નામના મેળવશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here