દેલોલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનુ ભવ્ય સ્વાગત કરાયુ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી ના વિકસિત ભારત ના સંકલ્પ માટે ની ભવ્ય યાત્રા આજે દેલોલ મુકામે પહોંચી. જ્યાં ભવ્ય સ્વાગત બાદ મોદી ની જનકલ્યાણ કારી યોજનાઓ નાં લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા ના દરેક ગ્રામ પંચાયત સુધી આ રથ પહોંચી રહ્યો છે અને મોદી ની ગેરંટી વાળી ગાડી મા લોકો પૂર્ણ વિશ્વાસ મૂકી ને ગરીબો તેમજ તમામ વર્ગ અને લાયકાત ધરાવતા તમામ લાભાર્થી ઓ ને પોતાના જ ગામ માં આવા લાભ મળી ને પોતાનું જીવન સુરક્ષિત બને તે માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા અને નોંધણી કરાવી ને લાભ મેળવી રહ્યા છે. તેમજ ૨૦૪૭ પહેલા ભારત ને સંપૂર્ણ વિકસિત બનાવવા ના મોદી જી ના સંકલ્પ મા સાથ આપી ને કામ કરવા નો સંકલ્પ તમામ ઉપસ્થિત લોકો એ લીધો. આ યાત્રા મા ગુજરાત પ્રદેશ ભાજપા ના સહ ઇન્ચાર્જ ડૉ યોગેશ પંડ્યા ની સાથે તાલુકા વિકાસ અધિકારી તથા તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા, ઉપ પ્રમુખ ગુણવંતસિંહ, એપીએમસી ચેરમેન ધર્મેન્દ્રસિંહ, જિલ્લા પંચાયત સદસ્ય રેખાબેન, કિસાન મોરચાના સંજય સિંહ અને અન્ય કાર્યકર્તાઓ તેમજ સરકારી અધિકારીઓ હાજર રહ્યા હતા અને મોદીજી ના આ ભગીરથ લોકસેવા ના કાર્ય ને સફળ બનાવવા અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here