લાઠી તાલુકામાં ચાલતા નરેગા યોજનાના રિલીફ કાર્યની મુલાકાત લેતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર…

બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ

લાઠી તાલુકામાં ચાલતા નરેગા યોજનાના રિલીફ કાર્યની મુલાકાતે ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર, તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવિયા, જિલ્લા પંચાયતના જીતુભાઇ વાળા, આંબાભાઈ કકડીયા લાઠી તાલુકા કોંગ્રેસ અગ્રણી રામજીભાઈ ઇસામલીયા દામનગર શહેર કોંગ્રેસના જીતુભાઇ નારોલા, મહિપતબાપુ તુલશીભાઈ, કાત્રોડીયા ગ્રામ્ય વિસ્તારોના સરપંચશ્રીઓ સહિતના અગ્રણીઓએ મુલાકાત લીધી હતી.અને યુપીએ સરકારમાં બંધારણીય સુધારો કરી ફરજીયાત સો દિવસ રોજગારની ગેરંટી આપતી યોજના નરેગા હેઠળ ચાલતા રિલીફ કાર્ય દ્વારા ૯૦૦ થી વધુ શ્રમિકોની છભાડીયા ગામે અને ભિગરાડ ખાતે રાહત કાર્યના શ્રમિકોની મુલાકાતો લીધી હતી તેમજ શ્રમિકોના પ્રશ્નો સાંભળ્યા હતા. તદુપરાંત લાઠી તાલુકા વિકાસ અધિકારીશ્રી મકવાણા સાહેબ સહિત ઓર્ગેનાઇઝર શ્રી નીતિનભાઈ પુનતીયા સહિતનાઓ પાસેથી શ્રમિકોને આપતી રોજગારી અને પીવાના પાણી સહિત કામના કલાકો અને નાણાંની ચુકવણી સહિતની વિગતો મેળવી હતી.

લાઠી તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં શ્રમજીવી પરિવારોને નિયમિત રોજગારી મળી રહે તેવા હેતુએ જ્યાં જરૂર જણાય તેવા ગ્રામ્ય વિસ્તારોમાં રિલીફ કર્યો શરૂ કરવા સરકારમાં રજૂઆત કરવાની વાત જણાવી હતી તેમજ વધુ દિવસો શ્રમિકો રોજગારી મેળવી શકે અને શ્રમિકોને મળેલ બંધારણીય રોજગાર અધિકાર આપતી નરેગા યોજના અંતર્ગત ઘર આંગણે રોજગાર મળી રહે તેવા સુંદર ઉદેશ સાથે તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંધજી ની દુરંદેશીથી દાખલ થયેલ યોજનાથી હાલમાં હજારો શ્રમિકોને મળી રહેલ રોજગાર કપરા કાળમાં આશીર્વાદ રૂપ બની રહ્યા છે આ રોજગાર તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં સારી રીતે ચાલે અને વધુ લોકોને રોજગારી મળે તે માટે તાલુકાના તંત્ર સાથે ધારાસભ્ય શ્રી ઠુંમર સહિતના અગ્રણીઓ એ સ્થળ વિઝીટ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here