કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-
ડેરોલ સ્ટેશન લીમડા ચોક પાસે વયોવૃદ્ધ નર્વતસિંહ ગુલાબસિંહ ગોહિલ ઉ. વ.૮૨ ને માતેલા સાંઢ દ્વારા પાછળ થી ઉછાળી દેતા જમીન પર પટકાયા હતા અને ઈજાગ્રસ્ત હાલતમાં કાલોલ ની સિદ્ધિ વિનાયક હોસ્પીટલ માં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે હાલ માં ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ રખડતા ઢોરો બાબતે સરકાર ને કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપી છે ત્યારે આવા ઢોરો નાં માલિકો સામે ઉચિત કાર્યવાહી ની જરૂર છે..