ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-
સમગ્ર ગુજરાત રાજ્ય માં ક્ષત્રિય જાગીરદાર સમાજના અગ્રણીઓ યુવાનો દ્વારા દશેરા ના દિવસે ફરજિયાત પણે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે ત્યારે ડીસા તાલુકાના સમૌમોટા ગામે અંબાજી મંદિર ખાતે જાગીરદાર સમાજ દ્વારા શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ યોજાયો હતો ક્ષત્રિય સમાજના યુવાનોએ ઉમળકાભેર ભાગ લીધો હતો ત્યારે સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી ને કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો મંત્રોચાર કરી વિધિવત પૂજા અર્ચના કરી ને શસ્ત્ર પૂજન માં પધારેલ ક્ષત્રિય સમાજના યુવાનો ને પોતાનાં હથિયાર પર રક્ષા માટે કુમકુમ તિલક કરી ને દોરો બાંધીને કંકુ છાંટણા સાથે ચોખા ચડાવી માં ભગવતી ને બહેન દીકરી ગાય ની રક્ષા માટે કાળજી રાખીને યોગ્ય સમયે હથિયાર ઉપયોગ કરવા માં ભગવતી ને પ્રાથના કરી હતી.