ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-
ડભોઇ ભાજપા યુવા મોરચા સહીત શહેર ભાજપા ના હોદ્દેદારો કાર્યકરો દ્વારા તાજેતર મા કન્નુર ખાતે હેલીકોપટર દુરઘટનામા અવશાન પામેલ દેશના ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ બીપીન રાવતજી તેમજ તેઓના ધર્મપત્નિ સહીત દુરઘટનામા અવશાન પામેલા 13 શહીદો ને શ્રન્ધાંજલી અર્પણ કરાઇ હતી. અને આ અકાળે બની ગયેલ દુખદ ઘટનામા સમગ્ર દેશ શોકમા ગરકાવ થઈ જવા પામ્યો હોય ત્યારે ડભોઇ ભાજપા ના શહેર પ્રમુખ ડૉ.સંદીપભાઇ શાહ,મહામંત્રી વંદન પંડ્યા,અમિતભાઇ સોલંકી,યુવા મોરચા પ્રમુખ આકાશ પંડ્યા,મહામંત્રી પ્રેમલ પટેલ સહીતના હોદ્દેદારોઅને અસંખ્ય કાર્યકરો ઉપસ્થિત રહી દેશદાઝ સાથે હેલીકોપ્ટર દુર્ઘટનામા અવશાન પામેલા વીરસપુતો ને હ્રદયપુર્વક શ્રધ્ધાંજલી આપી હતી.