ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-
ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા તરીકે કોંગ્રેસ પક્ષ ધ્વારા પાવી જેતપુર ના ધારાસભ્ય અને સીનીયર નેતા સુખરામભાઇ રાઠવાની નિમણુક કરાઇ હતી.જ્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે જગદીશભાઇ ઠાકોર ની નિમણુક કરેલ હોય બન્ને નેતાઓ દીલ્હી થી પરત આવતા વિરોધપક્ષ ના નેતા સુખરામભાઇ રાઠવા વડોદરાથી છોટાઉદેપુર તરફે જતા હોય વેગા ત્રિભેટ ખાતે કોંગ્રેસ સમિતિ ધ્વારા ઉષ્માભર્યુ સ્વાગત કરાયુ હતુ.
કોંગ્રેસ ના મોવડી મંડળ ધ્વારા ગુજરાત વિધાનસભામા વિરોધપક્ષના નેતા તરીકે આદિવાસી સમાજના સીનીયર ધારાસભ્ય સુખરામભાઇ રાઠવા ની નિમણુક કરાઇ હતી.જ્યારે પ્રદેશ કોંગ્રેસ ના પ્રમુખ તરીકે માજી સાંસદ સભ્ય જગદીશભાઇ ઠાકોર ની વરણી કરાતા કોંગ્રેસ પક્ષે સંગઠણ અને સભ્યતા ના નવાપ્રાણ ફુંકાશે ની આશા સેવાઇ હતી.તેમજ આગામી સમયમા કોંગ્રેસ નુ સંગઠણ મજબુત બનશે તે માટેના સમીકરણો રચાવા પામ્યા છે.ત્યારે ડભોઇ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ ના હોદ્દેદારો,કાર્યકરો અને તાલુકા, જીલ્લા પંચાયત ના સદસ્યો તેમજ કોર્પોરેટરો તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્રભાઇ પટેલની આગેવાની મા વેગા ત્રિભેટ ખાતે ભેગા થઈ છોટાઉદેપુર તરફે જતા વિરોધપક્ષ ના નેતા સુખરામભાઇ રાઠવાનુ વેગા ત્રિભેટ ખાતે ફુલહાર કરી ઉષ્માભર્યુ સ્વાગત કરી સુત્રોચ્ચારો કરાયા હતા.આ પ્રસંગે કોંગ્રેસ ના આગ્રણી પ્રહલાદભાઇ પટેલ,રતિલાલભાઇ પટેલ, ઠાકર,ગોકળભાઇ રાઠવા,કોર્પોરેટર મંજુરભાઇ સલાટ, કેયુરઠાકોર સહીત ના કોંગ્રેસીઓ ઉપસ્થિત રહ્યા હતા.