ડભોઇ, (વડોદરા)-સરફરાઝ પઠાણ :-
ડભોઇ થી કરજણ રોડ પર આવેલ થરવાસા રેલવે ફાટક નુ 3 દિવસ સમારકામ હોવાથી ડભોઈ – કરજણ રોડ બંધ રાખવાનો લેવાયો નિર્ણય
મળતી માહિતી મુજબ વડોદરાજિલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે કે ડભોઇ થી કરજણ જવાના રોડ પર આવેલા થરવાસા રેલવે ફાટક તારીખ:11/02/2023 થી સવારના 10:00કલાકથી 13/02/2023તારીખ રાતના 08:00કલાક સુધી બંધ રહેશે રેલવે ફાટક નું સમારક કામ હોવાથી આશરે રોડ પર અવર-જવર કરતા 10 હજાર જેટલા વાહનોને સીધી અસર થશે હાલ પૂરજોશમાં ચાલી રહ્યો છે ફાટકનું કામ ફાટક મુક્ત અભિયાન હેઠળ બ્રિજનું કામ ચાલી રહ્યું છે.
કરજણ ભરૂચ સુરત જનારા વાહનોને વડોદરા રોડ ઉપર થઈ અથવા અંદર ના ગામો માં થઈ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.જેને લઇ ત્રણ દિવસ માટે આ રૂટ પર વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ રહેશે ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.