છોટાઉદેપુર, સકીલ બલોચ :-
છોટાઉદેપુર ઓરસંગ નદી કિનારે આવેલ પ્રસિદ્ધ શ્રી જાગનાથ મહાદેવ મંદિરમાં વર્ષોથી મહંત તરીકે સેવા આપતા સન્માનનીય સંત શ્રી માધવદાસજી મહારાજનું લાંબી માંદગી બાદ તા 18 ના બપોરે 3 કલાકે દુઃખદ અવસાન થયું હતું. જે બનાવ બનતા સમગ્ર છોટાઉદેપુર પંથકમાં ભારે શોકની લાગણી ફેલાઇ હતી. આજરોજ સવારે 8 કલાકે તેઓની અંતિમ યાત્રા જાગનાથ મહાદેવ મંદિરેથી નીકળી હતી. અને નગરમાં દર્શનાર્થે ફરી હતી. ભક્તોએ ભીની આંખે દર્શન કરી વિદાય આપી હતી. સન્માનનીય સંત ચીર વિદાયથી ની સમગ્ર પંથકમાં ખોટ પડી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર શ્રી જાગનાથ મહાદેવ મંદિરે વર્ષોથી ભગવાનની સેવા કરતા મહંત સર્વે માટે સન્માનનીય હતા. મંદિરનો વિકાસ અને મંદિરમાં પ્રજાની સુવિધાઓ ઉભી કરવામાં તેઓનો ઘણી મહેનત કરી સમાજમાં માન અને પ્રતિષ્ઠા મેળવી હતી. આજરોજ શોકની લાગણી ફેલાતા સમગ્ર છોટાઉદેપુરના બજારો સ્વયંભૂ બંધ રહ્યા હતા. નગરમાં નીકળેલ મહંતની અંતિમ યાત્રામાં 100 જેટલા સંત, અનુયાયીઓ, અને મોટી સાંખ્યમાં નગર જનો તથા રાજકીય નેતાઓ જોડાયા હતા. અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અને ઓરસંગનદીમાં અંતિમક્રિયા કરવામાં આવી હતી. છોટાઉદેપુર ના મહાન સંત નો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો.